Uttam Trasadiya’s message to the sisters of the India.

ઓમ શાંતિ ડો. પ્રિયંકા રેડ્ડી…

આખા દેશ માટે આ કરુણ ઘટના છે…
“બેટી બચાઓ, બેટી પઢાઓ” એ માત્ર સ્લોગન માં લખવા માટે નથી. 😠😠😠

એક દીકરી જે ડોકટર બનીને માં બાપ ના સપનાઓ પુરા કરવા નોકરી કરવા જતી હોય અને એકલતા નો લાભ લઈને એની સાથે બળાત્કાર જેવા દુષ્કૃત્ય બાદ હત્યા કરવા માં આવે અને આખા દેશ ના પક્ષ – અપક્ષ અને વિપક્ષ ના નેતાઓ ઘટના ના 4..4 દિવસ પછી પણ ચૂપ બેસે ત્યારે ખરેખર લાગે છે કે નપુંસકતા હદ વટાવી રહી છે…

મિત્રો જાગો… ડો. પ્રિયંકા પણ કોઈક ની દીકરી હતી, કોઈક ની બહેન હતી…

આજે એક તેલંગણા ની દીકરી હતી કાલે કોઈ આપણા ગુજરાત નું હશે, ક્યાં સુધી સહન કરશો ???

આજે એક હિન્દી બોલનાર દીકરી હતી કાલે ગુજરાતી બોલનારી બહેન હશે, ક્યાં સુધી સહન કરશો ???

આજે કોઈ બીજા પરિવાર ની દીકરી હતી કાલે કોઇ મારા કે તમારા પરિવાર નું હશે, ક્યાં સુધી સહન કરશો ???

આ અમાનવીય કૃત્ય માં સામેલ તમામ સામે કેસ નહિ સીધી ફાંસી ની સજા થવી જોઈએ એમાં બે મત નથી, પણ મારી વાત હવે શરૂ થાય છે….

જે થવાનું હતું એ થઇ ગયું જેના થી તમામ લાગણીશીલ અને માનવીય વિચારધારા ના લોકોને દુઃખ છે પણ બીજી કોઈ દીકરી સાથે આવી ઘટના ન બને એના માટે સમાજ ના પ્રબુદ્ધ નાગરિકો એ જાગવાની જરૂર છે…

મારી વિચારશક્તિ પ્રમાણે અમુક વાતો અહીંયા લખું છું, સારી અને સાચી લાગે તો કાલ થી જ તમારા પરિવાર માં અમલ એ જ આશા રહેશે.

1. આપણા પરિવાર ની દીકરીઓ (બહેન, પત્ની, માતા, ફોઈ, માસી, મામી કે પછી અન્ય કોઈ પણ હોય) ને જ્યારે કાઈ પણ મુશ્કેલી હોય તો એની વાત ને મજાક માં નહિ પણ ગંભીરતા થી લઈએ અને એને પરિવાર માંથી પૂર્ણ હૂંફ આપવાનો પ્રયત્ન કરીએ.
2. દીકરીઓ ત્યારે જ કોઈ વાત રજૂ નથી કરતી જ્યારે પરિવાર એના ઉપર ધ્યાન નથી આપતો. આપણે સૌ આપણા પરિવાર ની દીકરી ને પોતાના વિચારો રજૂ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપીએ.
3. જો આપણા પરિવાર માં કોઈ વર્કિંગ વુમન હોય તો એ જે માર્ગે થી પસાર થાય છે એ રસ્તા ઉપર આવતા ઘર, મહોલ્લા માં આપણે આપણી અનુકૂળતા મુજબ પારિવારિક સંબંધો નું નિર્માણ કરીએ જેથી તત્કાળ સમયે કામ આવી શકે.
4. સોશિયલ મીડિયા ના માધ્યમ થી આજે દીકરીઓ ને ખૂબ બ્લેકમેલ કરવામાં આવે છે. આપણા પરિવાર માં સોશિયલ મીડિયા નો ઉપયોગ કઈ રીતે કરી શકાય તેની યોગ્ય માર્ગદર્શન બેઠક સમયાંતરે કરીએ.
5. પરિવાર ના બધા જ સભ્યો એક બીજા ના સોશિયલ મીડિયા એકાઉન્ટ માં કનેક્ટેડ રહીએ જેથી મુશ્કેલી ના સમયે જરૂરી માહિતી મેળવી શકાય.
6. આપણા પરિવાર નું કોઈ પણ સભ્ય જ્યાં નોકરી કે ધંધો કરે છે ત્યાંના તેના સહકર્મીઓ, સ્થાનિકો સાથે આપણે પારિવારિક જોડાયેલા રહીએ. આ જોડાય થી મુશ્કેલી ના સમયે હકીકત જાણવામાં મદદ મળશે.
7. ગુજરાત – ભારત માં હજારોની સંખ્યામાં સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ એકેડેમીઓ કામ કરે છે. આ સંસ્થાની સહાય થી દર વર્ષે અથવા દર બે વર્ષે આપણા પરિવાર ના તમામ સદસ્યો માટે સેલ્ફ ડિફેન્સ ટ્રેઇનિંગ નું આયોજન કરીએ.
8. ઘણા બધા યુવાન યુવતીઓ યુવાની ના મદમાં ચારિત્ર્ય અને પરિવાર ને ન શોભે એવા અસભ્ય કામ કરતા હોય છે એનું મૂળ કારણ તેમના મિત્રો છે. મિત્રો કેવા બનાવવા એની કાળજી લેતા ઘરે થી જ શીખવાડીએ.
9. ઘર માં રોજ સવારે અને સાંજે સામુહિક પ્રાર્થનાનું આયોજન કરીએ જેથી માનસિક શક્તિ નું નિર્માણ થશે.
10. ઘરમાં રોજ સાંજે 15 મિનિટ, 30 મિનિટ કે કલાક જેવી અનુકૂળતા એ મુજબ એક બેઠક કરીએ જ્યાં બધા ખુલ્લા દિલ થી પોતાની વાત રાખી શકે જેથી સંગઠન શક્તિ નું નિર્માણ થશે, પરિવાર ના બધા સભ્યો એક બીજા ની નજીક આવશે.
11. અંતિમ છે સંસ્કાર ; જે બાળક હંમેશા માં બાપ, કાકા કાકી, મામા મામી, ફોઈ ફુઆ, અને બીજા વડીલ પરિવારજનોના વર્તન થી જ શીખે છે જેથી આપણું વર્તન હકારાત્મક ચારિત્ર્ય ભર્યું હોય એ ખૂબ જરૂરી છે.

જય હિન્દ, વંદે ભારત માતરમ.