આશરે એક મહિનાથી ચાલુ થયેલા ઈરાન – અમેરિકા અને ઈઝરાઈલના યુદ્ધ અને તણાવે આખા વિશ્વને આર્થિક, રાજકીય, સામાજિક અને માનસિક રીતે ખૂબ નકારાત્મક અસર પહોંચાડી છે. રાંઘણ ગેસના ચૂલાથી લઈને ઉદ્યોગો, હોટલો, શાળાઓ, દવાખાનાઓ, પરિવહન સેવાઓ કે અન્ય એવી કોઈ મહત્વપૂર્ણ સુવિધાઓ આ યુદ્ધથી અસરગ્રસ્ત થયા વગર રહી નથી,ભૌગોલિક-રાજકીય પરિપ્રેક્ષ્યમાં પણ મધ્ય પૂર્વ એશિયા ફરીContinue reading “ઈરાન – અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવમાં પાકિસ્તાનની મધ્યસ્થી રંગ લાવશે કે કેમ ?”
Tag Archives: Uttam Trasadiya Blogs
“સમાનતા તરફનું પગલું: ગુજરાત સમાન નાગરિક સંહિતા, ૨૦૨૬”
ગુજરાત સમાન નાગરિક સંહિતા, ૨૦૨૬ બિલ રાજ્યમાં વ્યક્તિગત કાયદાઓમાં એકરૂપતા અને સમાનતા લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ બિલનો મુખ્ય હેતુ લગ્ન, છૂટાછેડા, વારસાહક અને લિવ-ઈન રિલેશનશિપ જેવી વ્યક્તિગત બાબતોને ધાર્મિક આધારે નહીં, પરંતુ એકસરખા કાનૂની માળખામાં લાવવાનો છે. આ સંહિતા સમગ્ર ગુજરાત રાજ્યમાં લાગુ પડશે અને રાજ્યના તેવા રહેવાસીઓને પણ આવરી લેશે જેઓContinue reading ““સમાનતા તરફનું પગલું: ગુજરાત સમાન નાગરિક સંહિતા, ૨૦૨૬” “
“૨૦૧૦ – ૨૦૨૫ : પ્રસિદ્ધિ થી વાસ્તવિકતા સુધીનો ભારતનો સ્ટાર્ટઅપ યુગ”
છેલ્લા પંદર વર્ષમાં ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમે અદભૂત વૃદ્ધિ સાથે ગંભીર સમસ્યાઓનો સામનો કર્યો છે. ડિજિટલ ક્રાંતિ, સ્માર્ટફોનના વ્યાપ અને સસ્તા ઇન્ટરનેટના કારણે નવા વિચારોને લોકો સુધી પહોંચવામાં ઘણો વેગ મળ્યો. અનેક સ્ટાર્ટઅપ્સે થોડા જ સમયમાં ભારે હાઈપ મેળવી પરંતુ તેમાંથી ઘણાં ટકાઉ મૂલ્ય ન આપી શકતા ઝડપથી પતન પામ્યા. આ સમગ્ર યાત્રા માત્ર સફળતા અનેContinue reading ““૨૦૧૦ – ૨૦૨૫ : પ્રસિદ્ધિ થી વાસ્તવિકતા સુધીનો ભારતનો સ્ટાર્ટઅપ યુગ” “
સોશિયલ મીડિયા: પ્રદૂષક કે સહાયક ???
આપણે સૌએ કાર્બન ડાયોક્સાઇડ અને ઓઝોનનું નામ અનેક વાર સાંભળ્યું છે. કાર્બન ડાયોક્સાઇડને આપણે પ્રદૂષક માનીએ છીએ અને ઓઝોન ને જીવન રક્ષક. ઊંડાણપૂર્વક અભ્યાસ કરો તો ખરેખર બંને પ્રદૂષક પણ છે અને જીવન માટે અનિવાર્ય પણ છે. આવું જ કઈક સોશિયલ મીડિયાનું છે; સોશિયલ મીડિયા આધુનિક યુગનું સૌથી શક્તિશાળી સાધન છે સાથે સાથે અતિ સૂક્ષ્મContinue reading “સોશિયલ મીડિયા: પ્રદૂષક કે સહાયક ???”
સદીઓ પૂર્વેની જનજાતિથી આધુનિક લોકશાહી સુધીની ભારતના રાજકીય વિકાસની અવિરત યાત્રા
ભારતનો રાજકીય ઇતિહાસ માનવ સમાજની જરૂરિયાતો, સંઘર્ષો અને પરિસ્થિતિઓથી ઘડાયેલો એક ગતિશીલ પ્રવાહ છે. શરૂઆતમાં માનવ સમાજ “જન” અથવા “જનજાતિ” તરીકે જીવતો હતો, જ્યાં કોઈ નિશ્ચિત સીમા કે રાજ્ય વ્યવસ્થા નહોતી. ઋગ્વેદના સમયમાં “રાજન” માત્ર એક નેતા હતો, સર્વશક્તિમાન રાજા નહીં. સભા અને સમિતિ જેવા તંત્રો દ્વારા નિર્ણય લેવાતા, જે પ્રારંભિક લોકશાહી તત્વોને દર્શાવે છેContinue reading “સદીઓ પૂર્વેની જનજાતિથી આધુનિક લોકશાહી સુધીની ભારતના રાજકીય વિકાસની અવિરત યાત્રા”
“વેપારથી શાસન સુધી: અંગ્રેજોની કૂટનીતિ અને ભારતની આંતરિક કમજોરીઓનો ઈતિહાસ”
ભારતમાં અંગ્રેજી શાસનની સ્થાપના કોઈ એક ઘટનાનું પરિણામ નહોતું, પરંતુ અનેક રાજકીય, આર્થિક અને સૈનિક પરિબળો સાથે સંકળાયેલી પ્રક્રિયા હતી. શરૂઆતમાં અંગ્રેજો માત્ર વેપાર માટે આવ્યા હતા, પરંતુ ભારતીય પરિસ્થિતિ, આંતરિક કમજોરીઓ અને પોતાની વ્યૂહાત્મક બુદ્ધિથી તેઓ ધીમે ધીમે શાસક બની ગયા. ઈ.સ. ૧૬૦૦માં સ્થાપિત થયેલી ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો મૂળ હેતુ મસાલા, કાપડ અને અન્યContinue reading ““વેપારથી શાસન સુધી: અંગ્રેજોની કૂટનીતિ અને ભારતની આંતરિક કમજોરીઓનો ઈતિહાસ””
શું માત્ર કાયદો જ અપરાધ રોકી શકશે ???
સમાજમાં જ્યારે કોઈ અપરાધ બને છે ત્યારે આપણે સામાન્ય રીતે માત્ર એક પ્રશ્ન પૂછીએ છીએ કે “દોષી કોણ છે?” પરંતુ વધુ મહત્વનો પ્રશ્ન એ છે કે “કોઈ વ્યક્તિ અપરાધી કેમ બને છે?” કોઈ પણ માણસ જન્મથી અપરાધી નથી હોતો. માણસનું વ્યક્તિત્વ તેના સંસ્કાર, પરિસ્થિતિ, વિચારધારા અને જીવનમાં મળેલા માર્ગદર્શન દ્વારા ઘડાય છે. તેથી અપરાધને સમજવાContinue reading “શું માત્ર કાયદો જ અપરાધ રોકી શકશે ??? “